Posts

વકફ બોર્ડ અંગે ની માહિતી

અલ્પસંખ્યક અધિકાર મંચ, ગુજરાત વકફ બોર્ડ એ સરકારની એક એવી કચેરી છે કે જ્યાંથી સમગ્ર રાજ્યના તમામ વકફ ટ્રસ્ટો એટલે કે મસ્જીદ, મદ્રેસા, દરગાહ, કબ્રસ્તાન વિગેરેનું સંચાલન કરવામાં આવે છે. એટલે વકફ ટ્રસ્ટની નવી નોંધણી અને દરેક પ્રકારના ફેરફાર વિગેરે મંજુર કરવાની સત્તા વકફ બોર્ડના અધ્યક્ષ પાસે હોય છે. વકફ બોર્ડના કારોબારી બોર્ડના સભ્યોની કામ કરવાની સમય મર્યાદા પાંચ વર્ષની હોય છે. દર પાંચ વર્ષે નવા સભ્યો નિયુક્ત કરવાના હોય છે. આ નવા સભ્યો ચૂંટણી કરીને નીમવા જોઈએ પણ ચૂંટણી કરવું શક્ય ન હોય તો રાજ્ય સરકાર ધારે તે મુસ્લિમોને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી સભ્યો તરીકે નિયુક્ત કરી શકે છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી બોર્ડની સમય મર્યાદા ૨૦-૨-૨૦૧૬ ના દિવસે પૂરી થઇ ગયેલ છે. જેના લીધે વકફની દરેક પ્રકારની કામગીરી કરવામાં તકલીફો પડે છે. વકફ બોર્ડના સભ્યોની નિમણુક કરવા રાજ્ય સરકારને વારંવાર રજુઆતો અને નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ ૧૬-૬-૨૦૧૭ ના રોજ વકફ બોર્ડના નવા સભ્યો તારીખ ૩૧-૧૦-૨૦૧૭ સુધી નિયુક્ત કરવા રાજ્ય સરકારને હુકમ કરેલ છે. તેમ છતાં રાજ્ય સરક...

ગુન્હો બન્યા પછી કરવામાં આવતી તબક્કાવાર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અને તેની સમજણ

ગુન્હો બન્યા પછી કરવામાં આવતી તબક્કાવાર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અને તેની સમજણ FIR એટલે શું?:- FIR એટલે પ્રથમ બાતમી અહેવાલ કહેવાય. ગુનો બન્યો હોય તેની પ્રાથમિક માહિતી કોઈપણ વ્યક્તિ પોલીસને આપી શકે છે. ગુનો બને ત્યારે આપણે શું કરવું જોઈએ? • કોઈપણ જગ્યાએ ગુન્હો બને એટલે તરત પોલીસ ને જાણ કરવી જોઈએ. • ત્યારબાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવી જોઈએ. ફરિયાદ કોણ નોંધાવી શકે? • જે વ્યક્તિ વિરુદ્ધ ગુનો આચરવામાં આવ્યો હોય તે વ્યક્તિ પોતે ફરિયાદ નોંધાવે તો ફરિયાદ વધારે મજબૂત બને છે. • અસરગ્રસ્ત/ ઈજા પામનાર વ્યક્તિ અથવા મૃત્યુ પામનાર વ્યક્તિના સંબંધી. • ગુન્હાની જગ્યાએ બનાવના સ્થળે હાજર કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસ ફરિયાદ કઈ રીતે રીતે નોંધાવી શકાય? 1. ૧૦૦ નંબર ઉપર ફોન કરીને પણ ફરિયાદ આપી શકાય છે. 2. સીધા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકાય. 3. જો પોલીસ ફરિયાદ ન લે તો (DSP) એટલે કે જિલ્લા પોલીસ વડાને રજીસ્ટર એ.ડી. અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ફરિયાદ મોકલી શકાય છે. 4. સીધા કોર્ટમાં વકીલ મારફતે અથવા જાતે પણ ફરિયાદ નોંધાવી શકાય (ખાનગી ફરિયાદ) ...